"અનિરૂદ્ધ"અથૉત જેને
કોઈ રોકી ના શકે. ખરેખર જ, જે અનિરૂદ્ધના થઈ ગયાં અને અનિરૂદ્ધના
પ્રેમસાગરમાં ગરકી ગયા એને જીવનમાં એક સાચો મિત્ર, પિતા,ભાઈ,શિક્ષક અને
જીવન જીવવાની જીવાદોરી મળી ગઈ.
જીવનમાં જયારે સાચાં સદ્ગુરુ એ મિત્ર
અને સાચો મિત્ર એ સદ્ગુરુ રૂપે મળે ત્યારે જીવન ધન્ય બની જાય છે અને જીવન
કેવી રીતે જીવવું એનો એક સવૉત્તમ રસ્તો મળી જાય છે.
આજની આ અતિશય વ્યસ્ત અને ટેન્શનભરી જિંદગીમાં બધા સાથ છોડી દે છે પણ સાચાં
સદ્ગુરુ જે તમારો સાચો મિત્ર છે એ કદાપિ તમારો સાથ છોડશે નહિં. સાચાં
સદ્ગુરુ એ તમને જીવન કેવી રીતે જીવવું એની ગોલ્ડન કી (સોનેરી ચાવી) આપે છે.
ભકિત સાંસારિક જીવન જીવીને કઈ રીતે કરવી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે સૌ
શ્રી અનિરૂદ્ધ બાપુને સમજીને અને પચાવીને જાણશું અને માણશું. ચાલો આપણે
બધાં અનિરૂદ્ધ પ્રેમસાગરમાં તરબોળ થઈ આ જીવનને ધન્ય બનાવીએ તા. 1.11.2015,
વડોદરા મુકામે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.
- Beautifully expressed by Poojaveera Shah
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો